આજે સેવાતીર્થમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠક:PMO 10 દિવસ પહેલા જ સાઉથ બ્લોકથી અહીં શિફ્ટ થયું
![]()
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ઓફિસ સેવા તીર્થમાં મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાશે. કેબિનેટની છેલ્લી બેઠક 13 ફેબ્રુઆરીએ PMOની સાઉથ બ્લોક સ્થિત ઓફિસમાં થઈ હતી. ત્યારબાદ PMOને નવી ઓફિસમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની ઓફિસ 1947થી સાઉથ બ્લોકમાં રહી હતી. આ ઇમારત લગભગ 78 વર્ષથી દેશની સત્તાનું કેન્દ્ર રહી છે. સેવા તીર્થ કોમ્પ્લેક્સમાં કુલ 3 ઇમારતો સેવા તીર્થ કોમ્પ્લેક્સમાં કુલ 3 ઇમારતો છે – સેવા તીર્થ-1, સેવા તીર્થ-2 અને સેવા તીર્થ-3. સેવા તીર્થ-1માં PMO છે. સેવા તીર્થ-2માં કેબિનેટ સચિવાલય અને સેવા તીર્થ-3માં NSCS અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ઓફિસ છે. આ તમામ ઓફિસો પહેલા અલગ-અલગ જગ્યાએ હતી. કેબિનેટ સચિવાલય સપ્ટેમ્બર 2025માં જ સેવા તીર્થ-2માં શિફ્ટ થઈ ગયું છે. PMO સાથે NSCS અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ઓફિસ પણ અહીં શિફ્ટ થઈ ગઈ છે. PMએ કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કર્યુ હતું. અહીં મંત્રાલયોની નવી ઓફિસો છે. પહેલા નોર્થ બ્લોક મંત્રાલયોનું ઠેકાણું હતું. ₹1189 કરોડના ખર્ચે બનેલું સેવા તીર્થ સેવા તીર્થનો અર્થ છે ‘સેવાનું સ્થાન’. પહેલા તેનું નામ ‘એક્ઝિક્યુટિવ એન્ક્લેવ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ 2 ડિસેમ્બર 2025ના રોજ તેનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું. તે નવી દિલ્હીમાં દારા શિકોહ રોડ પર એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં આવેલું છે. તે લગભગ 2.26 લાખ ચોરસ ફૂટ (લગભગ 5 એકર) માં બનેલું છે. તેને એલ એન્ડ ટી કંપનીએ ₹1189 કરોડમાં બનાવ્યું છે. નવા PMO પાસે જ વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન પણ બની રહ્યું છે. તે તૈયાર થયા પછી, વડાપ્રધાન 7, લોક કલ્યાણ માર્ગ પર આવેલા હાલના નિવાસસ્થાનથી નવા નિવાસસ્થાનમાં શિફટ થશે. જોકે, હજુ તેની તારીખ જાહેર કરવામાં આવી નથી. નોર્થ-સાઉથ બ્લોક બનશે નેશનલ મ્યુઝિયમ સરકારની યોજના છે કે નોર્થ-સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતોને ‘યુગે-યુગેન ભારત નેશનલ મ્યુઝિયમ’માં રૂપાંતરિત કરવામાં આવશે. તેને વિશ્વ કક્ષાના મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં ભારતની સભ્યતા દર્શાવવામાં આવશે. તેમાં લગભગ 25 થી 30 હજાર કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. તે વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમ પૈકી એક હોવાની સંભાવના છે.
Source link