ખેડૂતે આપી પપૈયાની ખેતીની ટીપ્સ – tips on papaya farming given by farmers | અમરેલી


Last Updated:

પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક બાગાયતી ખેતી તરફ વળીને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ સખવાળાએ એક જ સિઝનમાં લાખોની આવક મેળવી છે. યોગ્ય પાકની પસંદગી, બજારની સમજ અને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને પપૈયાની ખેતી કેવી રીતે નફાકારક બની શકે તેનું જીવંત ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે.

+

ખેડૂતે

ખેડૂતે આપી પપૈયાની ખેતીની ટીપ્સ

અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ સખવાળાએ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી છે અને પપૈયાના વાવેતરથી એક જ સિઝનમાં નોંધપાત્ર આવક મેળવી છે. આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય પાકની પસંદગીમાંથી નફાકારક ખેતી કેવી રીતે થઈ શકે, તેનું ઉત્તમ ઉદાહરણ પ્રતાપગઢના જયંતીભાઈ છે.

45 વર્ષના જયંતીભાઈ, જેમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં નવીન પ્રયોગો કરી રહ્યા છે. તેમણે 11 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે. પપૈયા તરફ વળવાનો તેમનો નિર્ણય યોગ્ય માર્ગદર્શન, બજારની માંગ અને ઓછા સમયમાં વધુ આવકની સંભાવનાને ધ્યાનમાં રાખીને લેવાયો હતો. જયંતીભાઈએ ‘રેડ લેડી’ નામની પપૈયાની જાતનું વાવેતર કર્યું છે, જે વધુ ઉત્પાદન અને ગુણવત્તા માટે જાણીતી છે. એક વીઘામાં આશરે 350 રોપાનું વાવેતર થાય છે. એક રોપામાંથી સરેરાશ 60 કિલોગ્રામથી 150 કિલોગ્રામ સુધીનું ઉત્પાદન મળી શકે છે. આ રીતે, એક વીઘામાં 10 ટનથી વધુ પપૈયાનું ઉત્પાદન થાય છે.

હાલમાં બજારમાં પપૈયાના ભાવ પ્રતિ કિલોગ્રામ 15 થી 20 રૂપિયાના છે. આ દરે, એક વીઘામાંથી લગભગ 1 લાખ થી 1.2 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. જયંતીભાઈના કુલ 11 વીઘાના વાવેતરમાંથી એક સિઝનમાં આશરે 11 લાખ રૂપિયા થી વધુની આવક થઈ શકે છે. ખાસ વાત એ છે કે એક વીઘામાં પપૈયાના વાવેતર માટેનો ખર્ચ આશરે 30 હજાર રૂપિયા છે, એટલે કે ખર્ચની સરખામણીએ નફો ખૂબ જ સારો છે. પપૈયાનું વેચાણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ થાય છે. શહેરોમાં પપૈયાની સતત માંગ રહેતી હોવાથી ખેડૂતોને બજારની ચિંતા ઓછી રહે છે. યોગ્ય સમય પર કાપણી અને વેચાણ થવાથી ભાવ પણ સારો મળી રહે છે.

આ પણ વાંચો: કમોસમી વરસાદની અસર, ગુજરાતમાં શિયાળુ પાકના ભાવમાં તેજીની સંભાવના

અમરેલી જિલ્લાના અનેક ખેડૂતો હવે પરંપરાગત પાકો છોડીને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. પપૈયું, મોસંબી, દાડમ જેવા પાકોથી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. જયંતીભાઈ સખવાળાની સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તેઓ માને છે કે યોગ્ય આયોજન, મહેનત અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે તો ખેતી આજે પણ લાભદાયી વ્યવસાય બની શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *