ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, 7 ના મોત:રાંચીથી દિલ્હી જઈ રહ્યું હતું વિમાન; ટેકઓફની 20 મિનિટ બાદ સંપર્ક તૂટી ગયો હતો
રાંચી2 મિનિટ પેહલા
- કૉપી લિંક

રેડબર્ડ એરવેઝનું બીચક્રાફ્ટ કિંગ એર B90L એક ચાર્ટર્ડ પ્લેન છે.
ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું. પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. રેડબર્ડ કંપનીનું બીચક્રાફ્ટ કિંગ એર B90L એક એર એમ્બ્યુલન્સ હતું.
ફ્લાઈટે સોમવાર સાંજ 7:11 વાગ્યે રાંચીથી ઉડાન ભરી હતી, 7:34 વાગ્યે એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયાના જંગલોમાં ક્રેશ થઈ ગયું.
પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ), કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલટ), સંજય કુમાર (દર્દી), અર્ચના દેવી (પરિજન), ધૂરુ કુમાર (પરિજન), વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર) અને સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) સવાર હતા.
પહેલા જુઓ તસવીરો…


દર્દીને સારવાર માટે દિલ્હી લઈ જઈ રહ્યું હતું વિમાન
રાંચીની દેવકમલ હોસ્પિટલના CEO અનંત સિંહાએ PTIને જણાવ્યું કે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા એક દર્દીએ કરી હતી. તેમણે કહ્યું, “લાતેહાર જિલ્લાના ચંદવાના રહેવાસી દર્દી સંજય કુમાર (41)ને 16 ફેબ્રુઆરીએ 65 ટકા દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.”
સિંહાએ વધુમાં જણાવ્યું કે પરિવારના સભ્યોએ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. દર્દીને લગભગ 4.30 વાગ્યે હોસ્પિટલથી દિલ્હી માટે લઈ જવામાં આવ્યા હતા. સાંજે વિમાન અકસ્માતમાં દર્દીની સાથે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.
DGCAએ કહ્યું- વિમાને રસ્તો બદલવાની પરવાનગી માંગી હતી
DGCAએ જણાવ્યું કે એરક્રાફ્ટે 7:10 વાગ્યે રાંચીથી ઉડાન ભરી હતી. 7:30 વાગ્યે વિમાને ખરાબ હવામાનના કારણે રસ્તો બદલવાની (ડાયવર્ઝન) પરવાનગી માંગી હતી. તેના થોડા સમય બાદ જ વિમાનનો કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અને રડાર કનેક્શન તૂટી ગયું હતું. ત્યારબાદ વિમાન ક્રેશ થઈ ગયું.
દેશમાં છેલ્લી 2 મોટી પ્લેન દુર્ઘટનાઓ…
28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું આ જ વર્ષે જાન્યુઆરીમાં પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. તેઓ 66 વર્ષના હતા. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાયલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા હતા.
પાયલટે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં એટલે તેઓ પ્લેનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયા. પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પહેલા જ પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ હતી.
12 જૂન 2025: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 241 મુસાફરોનાં મોત

ગયા વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. માત્ર એક મુસાફરને બાદ કરતાં બાકીના તમામ 241 લોકોના જીવ ગયા હતા.
આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. પ્લેન જે બિલ્ડિંગ સાથે અથડાયું હતું, ત્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો રહે છે.
