મદ્રાસ હાઈકોર્ટે કહ્યું- સનાતન પર ઉદયનિધિનું નિવેદન હેટ સ્પીચ:તેમની વાતો નરસંહાર જેવી, 2023માં સ્ટાલિને કહ્યું હતું- સનાતન મેલેરિયા જેવો, તેને મિટાવી દો
![]()
મદ્રાસ હાઈકોર્ટે બુધવારે કહ્યું કે તમિલનાડુના ડેપ્યુટી CM ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન વિરુદ્ધ કરવામાં આવેલી વાતો હેટ સ્પીચના દાયરામાં આવે છે. કોર્ટે આ ટિપ્પણી સ્ટાલિનના ત્રણ વર્ષ જૂના નિવેદનને લઈને કરી હતી. વર્ષ 2023માં ઉદયનિધિએ સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરતા કહ્યું હતું કે તેને ખતમ કરી દેવો જોઈએ. આ નિવેદનનો ઘણો વિરોધ થયો. ભાજપ આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ સ્ટાલિનના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ નિવેદન દેશના 80% સનાતન ધર્મ માનનારાઓ વિરુદ્ધ છે. જોકે, સ્ટાલિનની DMK પાર્ટીના એક નેતાએ ઉલટાનું માલવિયા વિરુદ્ધ કેસ કરી દીધો. આરોપ લગાવ્યો કે માલવિયાએ સ્ટાલિનના નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું. માલવિયાએ FIR વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી. ત્રણ વર્ષ પછી મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે હવે FIR રદ કરી દીધી છે. જસ્ટિસ એસ. શ્રીમથીએ કહ્યું કે માલવિયાએ સ્ટાલિનના નિવેદન પર ફક્ત પ્રતિક્રિયા આપી હતી. આવી પ્રતિક્રિયા પર કેસ ચલાવવો કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થશે. કોર્ટની 4 મોટી કમેન્ટ…. 2 સપ્ટેમ્બર 2023: ઉદયનિધિએ સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા ગણાવ્યો હતો ઉદયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બર 2023 ના રોજ એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. ઉદયનિધિએ કહ્યું હતું કે- સનાતન ધર્મ મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને કોરોના જેવો છે, જેનો માત્ર વિરોધ કરી શકાતો નથી, પરંતુ તેને ખતમ કરવો જરૂરી છે. વિવાદ વધતા ઉદયનિધિએ કહ્યું કે હું હિંદુ ધર્મ નહીં પણ સનાતન પ્રથાની વિરુદ્ધ છું. તમિલનાડુમાં છેલ્લા 100 વર્ષથી સનાતન ધર્મ વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યા છે. અમે આગામી 200 વર્ષ સુધી પણ તેની વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખીશું. ભૂતકાળમાં ઘણા પ્રસંગોએ આંબેડકર, પેરિયાર પણ આ વિશે બોલતા રહ્યા છે. ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 4 માર્ચે ઉદયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્ટાલિને અધિકારોનો ખોટો ઉપયોગ કર્યો છે. સ્ટાલિન કોઈ સામાન્ય માણસ નથી. તેમને નિવેદનના પરિણામો વિશે વિચારવું જોઈતું હતું.
Source link