શ્રેયસ અય્યરનું 25 મહિના પછી T20 ટીમમાં કમબેક:ન્યૂઝીલેન્ડ સામે તિલક વર્માની જગ્યાએ રમશે; સુંદરની જગ્યાએ બિશ્નોઈનો સમાવેશ




ભારતીય વન-ડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર 25 મહિના પછી T20 ટીમમાં પરત ફર્યો છે. BCCIએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી 5 T20 મેચની સિરીઝ માટે તેને ટીમમાં સામેલ કર્યો છે. 31 વર્ષીય અય્યર ઈજાગ્રસ્ત તિલક વર્માની જગ્યા લેશે. તે ગયા અઠવાડિયે વિજય હઝારે ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના સિવાય રવિ બિશ્નોઈને પણ ટીમમાં સામેલ કર્યો છે. બિશ્નોઈ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રમશે. અય્યરે 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ રમી હતી
શ્રેયસ અય્યરે છેલ્લી T20 મેચ ડિસેમ્બર 2023માં બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે 37 બોલ પર 53 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતે આ મેચ 6 વિકેટે જીતી હતી. અય્યર T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 51 મેચ રમ્યો છે. આ મેચમાં અય્યરે 8 અડધી સદીની મદદથી 1104 રન બનાવ્યા છે. સુંદરની જગ્યાએ બિશ્નોઈને તક
વોશિંગ્ટન સુંદરને 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાયેલી પ્રથમ મેચ દરમિયાન પાંસળીમાં ઈજા થઈ હતી. ત્યારે BCCIએ નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સુંદરને ડાબી બાજુની નીચેની પાંસળીમાં દુખાવો થવા લાગ્યો હતો. આ પછી તેને આગળની તપાસ (સ્કેન) માટે મોકલ્યો છે. BCCIની મેડિકલ ટીમ નિષ્ણાતોની સલાહ લેશે. 26 વર્ષીય સુંદરે પ્રથમ વન-ડેમાં બોલિંગ કરતા 5 ઓવરમાં 27 રન આપ્યા હતા. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન તેને પાંસળીઓમાં ખેંચાણ અનુભવાયું, જેના પછી તે મેદાન છોડીને બહાર ચાલ્યો ગયો અને ફિલ્ડિંગ માટે પાછો ફર્યો નહીં. જોકે, ઈજા હોવા છતાં તે બેટિંગ કરવા આવ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *