કોંગ્રેસનો દાવો- રાહુલને ગોળી મારવાની ધમકી મળી:ખેડાએ કરણી સેનાના કાર્યકરનો વીડિયો શેર કર્યો; કહ્યું- બીજો ગોડસે તૈયાર કરવામાં આવી રહ્યો છે




કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ દાવો કર્યો છે કે કરણી સેનાના એક કાર્યકર્તાએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપી છે. પવને ગુરુવારે ધમકીભર્યો વીડિયો પણ સોશિયલ મીડિયા X પર શેર કર્યો છે. પવન ખેડાએ લખ્યું કે સમગ્ર RSS-ભાજપ તંત્ર એક ‘ગોડસે ફેક્ટરી’ છે. કથિત કરણી સેના દ્વારા રાહુલ ગાંધી અને ’25 સાંસદો’ વિરુદ્ધ આપવામાં આવેલી ધમકી કોઈ અલગ-અલગ ઘટના નથી. આ એક સુનિયોજિત અને કપટપૂર્ણ ષડયંત્રનો ભાગ છે. કટ્ટરવાદ આ રીતે જ કામ કરે છે. તેઓ પહેલા એક જૂઠ બનાવે છે, રાજકીય સત્તા તેને આગળ વધારે છે અને ત્યાં સુધી ફેલાવે છે જ્યાં સુધી તેમના અનુયાયીઓના મનમાં નફરત અને હિંસા ભરાઈ ન જાય. ત્યારે પણ ગોડસે બનાવવામાં આવ્યો હતો. આજે ફરી એક અન્ય ગોડસેને તૈયાર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં શું છે વીડિયોમાં પોતાને કરણી સેનાનો ગણાવતા શખ્સે સંસદમાં ઓમ બિરલાના ચેમ્બરમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. આ શખ્સની ઓળખ રાજ અમેરા તરીકે થઈ છે. તે કોટાના ઉદ્યોગ નગરનો છે. કરણી સેનાનો વિભાગીય પ્રવક્તા છે. લગભગ 3 દિવસ પહેલા જ તેને પ્રવક્તા બનાવવામાં આવ્યો છે. રાજ અમેરાએ કહ્યું કે ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષના 25 સાંસદોએ જે ગેરવર્તણૂક કરી છે. તે સહન કરવામાં આવશે નહીં. આ બધા પાછળ રાહુલ ગાંધી જવાબદાર છે. હું ચેતવણી આપું છું કે જો ફરીથી આવી ઘટના બની તો તે 25 સાંસદોના ઘરમાં તોડફોડ કરીશું અને રાહુલ ગાંધી સાંભળી લે, તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીશું. આના માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે. મારી માંગ છે કે તે 25 સાંસદો પર કાર્યવાહી થાય. મોદી સરકારમાં મંત્રી કિરણ રિજિજુનું જે નિવેદન સામે આવ્યું, તેને સાંભળ્યા પછી અમે લોકો ખૂબ ગુસ્સામાં છીએ. મારી આ ધમકી પછી જો મને જેલ થાય તો મને કોઈ વાંધો નથી. ખેડા બોલ્યા- રિજિજુએ દેશને ગેરમાર્ગે દોર્યો પવન ખેડાએ ધમકીવાળો વીડિયો શેર કરતા લખ્યું કે પહેલા કિરણ રિજિજુએ જૂઠું બોલ્યા. તેમણે દેશને ગેરમાર્ગે દોર્યો કે કોંગ્રેસના સાંસદોએ લોકસભામાં ઓમ બિરલાનું અપમાન કર્યું. પછી ભાજપના સાંસદોએ એવું કહેવાનું શરૂ કર્યું કે રાહુલ ગાંધી ‘ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો’ છે. આ વિપક્ષને બદનામ કરવા અને ખાસ કરીને રાહુલજી વિરુદ્ધ હિંસાને કાયદેસર ઠેરવવા માટેનું એક સુનિયોજિત અભિયાન છે. હવે જાણો ઓમ બિરલાને લઈને થયેલા વિવાદને 11 ફેબ્રુઆરીના રોજ ભાજપે દાવો કર્યો હતો કે કોંગ્રેસના 20-25 સાંસદોએ સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં ઘૂસીને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. પ્રિયંકા ગાંધી, વેણુગોપાલ ત્યાં હાજર હતા પરંતુ તેમણે સાંસદોને રોકવાને બદલે, ગેરવર્તન કરવા માટે ઉશ્કેર્યા હતા. બાદમાં વિપક્ષે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી દીધી. તેમાં 118 સાંસદોની સહીઓ છે. સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે ઓમ બિરલા હવે લોકસભામાં નહીં જાય. અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયા પછી જ તેઓ સ્પીકરની ખુરશી સંભાળશે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ગૃહમાં 9 માર્ચના રોજ ચર્ચા થઈ શકે છે. 13 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્રના વર્તમાન સેશનનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ 8 માર્ચથી ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થશે. ———————— આ સમાચાર પણ વાંચો… રિજિજુ બોલ્યા- રાહુલ દેશની સુરક્ષા માટે જોખમી: તેમના નક્સલવાદીઓ સાથે સંબંધો કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ બુધવારે કહ્યું કે રાહુલ ગાંધી ભારતની સુરક્ષા માટે સૌથી ખતરનાક વ્યક્તિ બની ગયા છે. તેઓ ભારત વિરોધી તાકાતો સાથે જોડાયેલા છે. તેઓ નક્સલવાદીઓ, ઉગ્રવાદીઓ અને જ્યોર્જ સોરોસ જેવા લોકો સાથે મળે છે. રિજિજુએ આ વાતો ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *