તમિલનાડુમાં 6 શંકાસ્પદની ધરપકડ, 8 મોબાઈલ-16 સિમ જપ્ત:દિલ્હી પોલીસે કહ્યું-પાકિસ્તાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી, શહેરોની રેકી કર્યાની શંકા




દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તમિલનાડુના તિરુપ્પુરથી 6 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ તમામે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આ ઉપરાંત, આ તમામ પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, 3 આરોપીઓને ઉથુકુલી, 3ને પલ્લાડમ અને એક આરોપીને તિરુમુરુગનપોંડીથી પકડવામાં આવ્યા હતા. તમામ નકલી આધાર કાર્ડ દ્વારા પોતાની ઓળખ છુપાવીને તિરુપ્પુરની ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી 8 મોબાઈલ અને 16 સિમ કાર્ડ મળી આવ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ તમામ આતંકવાદીઓની મદદ માટે ઘણા શહેરોની રેકી કરી ચૂક્યા હતા. આ ઉપરાંત, તેઓ દિલ્હીમાં ‘ફ્રી કાશ્મીર’ના પોસ્ટર લગાવવામાં પણ સામેલ રહ્યા છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદ વ્યક્તિઓમાં મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબત, ઉમર, મોહમ્મદ લિતન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલનો સમાવેશ થાય છે. આ તમામને ટ્રેન દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. અહીં વધું પૂછપરછ કરવામાં આવશે. હજી ગઈકાલે જ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ દેશના મુખ્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર આતંકવાદી હુમલા અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ પછી દિલ્હીમાં લાલ કિલ્લા, ચાંદની ચોકમાં સુરક્ષા વધારવામાં આવી છે. પકડાયેલા આતંકવાદીઓની 2 તસવીરો… લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વધી, 3 તસવીરો
સીસીટીવી દેખરેખ વધારવામાં આવી દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ મળીને સ્થિતિ પર નજર રાખી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવીથી દેખરેખ, વાહનોની તપાસ અને વધારાના સુરક્ષાકર્મીઓની તહેનાતી કરવામાં આવી છે. આ સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્વિક રિએક્શન ટીમોને તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે હિલચાલની તાત્કાલિક પોલીસ અથવા ઇમરજન્સી સેવાઓને જાણ કરવા અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, આ પગલાં ફક્ત સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યા છે. 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો હતો આ એલર્ટ 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પછી આવ્યું છે. તે વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટકો ભરેલી કારમાં બ્લાસ્ટ થવાથી આસપાસ ઉભેલી ઘણી ગાડીઓમાં આગ લાગી ગઈ હતી અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. 6 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે લશ્કર ભારતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *