અમર ચિત્રકથાનો ધૂમ ખરીદી – Buy the immortal picture book |
જે સમયે મોબાઈલ સહિતના ડિજિટલ ગેજેટ બહુ ઉપયોગમાં ન હતા એવા સમયે આ અમર ચિત્રકથા ખૂબ જ પ્રચલિત થઈ હતી. આ ચિત્રકથા માત્ર કોમિક્સ નહીં પરંતુ ભારતીય પરંપરા અને ઇતિહાસને સરળ ભાષામાં રજૂ કરતું સંસ્કારમૂલક સાહિત્ય છે. રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો ઉપરાંત શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને રાણી લક્ષ્મીબાઈ જેવી ઐતિહાસિક વ્યક્તિઓના જીવનપ્રસંગો ચિત્રકથાના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે.
