ભાવનગર શિશુવિહાર: 58 વર્ષથી 20000થી વધુ મફત નેત્ર સર્જરી | ભાવનગર
Last Updated:
ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ ‘દર્દી દેવો ભવઃ’ ના પવિત્ર સૂત્ર સાથે છેલ્લા 58 વર્ષથી પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા માનવસેવાની અનોખી પરંપરા જાળવી રાખી છે. આ સેવા યજ્ઞ માત્ર આંખની શસ્ત્રક્રિયાઓ પૂરતો નથી, પણ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર, ચશ્મા, ગરમ કપડાં અને ભોજન જેવી સહાય પૂરી પાડે છે.
ભાવનગર: ‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર સાથે ગોહિલવાડની પ્રસિદ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રભુકૃપા નેત્રયજ્ઞનું 58 વર્ષથી આયોજન થઈ રહ્યું છે, જેના દ્વારા 20,000 થી વધુ દર્દીઓની આંખની નિઃશુલ્ક શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. 1,25,000 થી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે. સૌરાષ્ટ્રની જાણીતી શ્રી શિવાનંદ આંખનાં દવાખાનાએ, જે રાજકોટ પાસે વીરનગરમાં સ્થિત છે, ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આ નેત્રયજ્ઞનું આયોજન કર્યું છે.
‘દર્દી દેવો ભવઃ’ સૂત્ર સાથે ગોહિલવાડની શિશુવિહાર સંસ્થા છેલ્લા 58 વર્ષથી પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજી રહી છે, જેમાં 20,000 થી વધુ દર્દીઓને વિનામૂલ્યે આંખની બીમારીઓ જેમ કે મોતિયાબિંદુ, ઝામર વગેરેની શસ્ત્રક્રિયા કરી છે. અહીં વયસ્કોને દૃષ્ટિ ચકાસણી અને ચશ્મા વિતરણ પણ કરવામાં આવે છે, જેમાં ભૂપતભાઈ શાહ અને સુધાબેન કનુભાઈ શાહના સહયોગનો લાભ મળે છે.

શિશુવિહારના સ્થાપક માનદાદા દ્વારા નેત્રયજ્ઞ અને ચક્ષુદાનની વિક્રમરૂપ સેવાઓ ચાલી રહી છે. રક્તદાન, ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃત્તિઓમાં શિશુવિહાર, ભાવનગર મોખરે છે, જે ગૌરવની બાબત છે. સરકારની અંધત્વ નિવારણ યોજનાની સાથે, આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી માનવ સેવાના સંવેદનશીલ કાર્યનો લાભ ગરીબ અને મધ્યમવર્ગને મળી રહ્યો છે. શિશુવિહારના સ્થાપક માનભાઈ ભટ્ટ અને શિવાનંદ સંસ્થાનના પ્રેરણાસ્ત્રોત શિવાનંદ અધ્વર્યુજીની મિત્રતાનો લાભ ભાવનગર અને આસપાસના વિસ્તારોને મળી રહ્યો છે. શિશુવિહાર સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ, વર્ષ 1968 થી પ્રભુકૃપા નેત્રયજ્ઞ સેવા અભિયાન ચાલુ છે, અને આ યજ્ઞમાં વિવિધ સંસ્થાઓ અને દાતાઓનો પૂરતો સહયોગ મળી રહ્યો છે.
નાનકભાઈ ભટ્ટ શિશુવિહાર સંસ્થા ભાવનગરે જણાવ્યું કે શિશુવિહાર પટાંગણમાં યોજાયેલા 522 નેત્ર યજ્ઞમાં શિવાનંદ હોસ્પિટલ રાજકોટની વિશિષ્ટ ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. 1968 થી શિશુવિહાર અહીં પ્રભુકૃપા નેત્ર યજ્ઞનું આયોજન કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ યજ્ઞ સતત ચાલે છે અને અહીં દરેક દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. દર્દી દેવો ભવ: ભાવનાથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં અનેક દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી છે અને 1968 થી 19,700 દર્દીઓની મફત સર્જરી કરવામાં આવી છે.
Bhavnagar,Gujarat
December 05, 2025 12:04 PM IST