Kashmiri youth enters Ram temple in Ayodhya | અયોધ્યાના રામ મંદિરમાં ઘૂસ્યા 3 કાશ્મીરીઓ: નમાઝ પઢવાની કોશિશ કરી, પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ‘શંકાસ્પદ હરકતો કરતા હતા’; સુરક્ષાકર્મીઓએ પકડ્યા
અયોધ્યા1 મિનિટ પેહલા
- કૉપી લિંક

અયોધ્યાના રામ જન્મભૂમિ પરિસરમાં 3 કાશ્મીરીઓ ઘૂસી ગયા. નમાઝ પઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. બે છોકરા અને એક છોકરી હતી. સુરક્ષાકર્મીઓએ તરત જ તેમને રોકી લીધા અને સ્થળ પર જ અટકાયતમાં લીધા.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, યુવકો શંકાસ્પદ હરકતો કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે પોતાને કાશ્મીરના રહેવાસી ગણાવ્યા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ. યુવકો પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ અયોધ્યા શા માટે આવ્યા હતા અને તેમનો હેતુ શું હતો? હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી છે. મામલાની તપાસ ચાલી રહી છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે…