રાજકોટ: રામનાથ મંદિર અને આજી નદીમાં સ્વચ્છતા અભિયાન – Clean Up Rajkot Group cleaned Ramnath Mandir and Aji River | રાજકોટ
આ સફાઈ અભિયાન દરમિયાન રામનાથ મંદિર નજીક વહેતી આજી નદીની સફાઈ કરવામાં આવી હતી. નદીમાં જમા થયેલ પ્લાસ્ટિક, ફુલહાર, ધાર્મિક સામગ્રી અને અન્ય કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ દરમિયાન એક ચિંતાજનક બાબત સામે આવી કે અનેક લોકો ધાર્મિક ભાવનાના નામે પુસ્તકો, ફૂલો, હાર અને અન્ય સામગ્રી સીધી નદીમાં પધરાવી રહ્યા છે. આ પ્રવૃત્તિથી આજી નદી સતત પ્રદૂષિત થઈ રહી છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય બંને માટે હાનિકારક છે.
