ICCએ બાંગ્લાદેશને 'ક્લિન બોલ્ડ' કરી નાખ્યું:વર્લ્ડ કપ ભારતમાં જ રમવો પડશે, એક દિવસમાં ફાઇનલ જવાબ માગ્યો; નહીં માને તો સ્કોટલેન્ડને મળશે તક




ICCની બેઠકમાં 14 દેશોએ બાંગ્લાદેશ વિરુદ્ધ મતદાન કર્યું. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય, તો સ્કોટલેન્ડને તક આપવામાં આવશે. હાલમાં, ICCએ BCBને તેના વલણ પર વિચાર કરવા માટે વધુ એક દિવસનો સમય આપ્યો છે. Cricinfo અનુસાર, ICCની બેઠકમાં 16માંથી 14 દેશોએ BCB ની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ફક્ત પાકિસ્તાને તેમને ટેકો આપ્યો હતો. જોકે, બાંગ્લાદેશ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં તે અંગે હવે 22 જાન્યુઆરીએ નિર્ણય લેવામાં આવશે. ICCએ બેઠકમાં કડક વલણ અપનાવ્યું. બુધવારે, ICCએ BCB અને અન્ય સભ્યો સાથે બેઠક યોજી હતી. ICCએ જણાવ્યું હતું કે જો બાંગ્લાદેશ ટુર્નામેન્ટ રમવા માટે ભારત નહીં જાય, તો તેમની જગ્યાએ બીજી ટીમ લેવામાં આવશે. મોટાભાગના ICC સભ્યોએ બેઠકમાં આ નિર્ણયને ટેકો આપ્યો હતો, ત્યારબાદ BCBને તેની સ્થિતિ પર વિચાર કરવા માટે વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ શ્રીલંકામાં પોતાની મેચો રમાડવા માગે છે સુરક્ષા કારણોસર બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં પોતાની મેચ ભારતમાં રમવા માગતું નથી. આને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ICCને માગ કરી હતી કે ટીમના મુકાબલા સહ-યજમાન શ્રીલંકામાં કરાવવામાં આવે. જોકે ICCએ આ માગને ફગાવી દીધી હતી. ત્યારબાદ BCBએ ફરીથી ICCને મેલ લખ્યો. 17 જાન્યુઆરીના રોજ ICC અને BCB વચ્ચે થયેલી બેઠકમાં બાંગ્લાદેશે સ્પષ્ટ કહ્યું કે તે T20 વર્લ્ડ કપ રમવા માગે છે, પરંતુ ભારતની બહાર. આમ છતાં ICC પોતાના નિર્ણય પર અડગ છે. કાઉન્સિલે સ્પષ્ટ કરી દીધું છે કે ટુર્નામેન્ટનું શેડ્યૂલ બદલાશે નહીં અને બાંગ્લાદેશને ગ્રુપ-Cમાં જ રમવું પડશે. બાંગ્લાદેશ હટશે તો સ્કોટલેન્ડને તક મળી શકે છે જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી હટી જાય છે, તો સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCના વલણ પર કાયમ રહ્યા બાદ બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાંથી હટવાની વાત કહી છે. જો બાંગ્લાદેશ બોર્ડ ભારતમાં રમવાનો ઇનકાર કરે છે, તો ટીમ રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને એન્ટ્રી મળી શકે છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બાંગ્લાદેશને સમર્થન આપ્યું છે. પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, PCBએ હાલ પૂરતી વર્લ્ડ કપની તૈયારીઓ રોકી દીધી છે અને ટીમ મેનેજમેન્ટને વૈકલ્પિક યોજના બનાવવાનું કહ્યું છે, જેથી જરૂર પડ્યે પરિસ્થિતિને સંભાળી શકાય. ICCનું દબાણ સ્વીકારીશું નહીં બીજી તરફ બાંગ્લાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે કહ્યું કે જો ICC ભારતીય બોર્ડના દબાણમાં ઝૂકે છે અને અમારા પર અયોગ્ય શરતો લાદવાનો પ્રયાસ કરે છે, તો અમે આવી શરતો સ્વીકારીશું નહીં. તેમણે ભારતમાં ન રમવાની વાતનું પુનરાવર્તન કર્યું છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની હત્યાઓ બાદ BCCIના કહેવા પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માંથી રિલીઝ કરી દીધો હતો. આનાથી નારાજ BCBએ પોતાની મેચ ભારતની બહાર કરાવવાની માગ કરવાનું શરૂ કર્યું. જો બાંગ્લાદેશે ઇનકાર કર્યો તો વિકલ્પ તૈયાર મીડિયા રિપોર્ટ મુજબ હવે ICC અંતિમ નિર્ણય BCB પર છોડી રહી છે. જો BCB ટીમ ને ભારત મોકલવાનો ઇનકાર કરે છે તો ICC બાંગ્લાદેશની જગ્યાએ કોઈ અન્ય ટીમને સામેલ કરી શકે છે. વર્તમાન રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને તક મળવાની સંભાવના સૌથી વધુ છે. ગ્રુપ બદલવાની માગ પણ ફગાવી 17 જાન્યુઆરીની બેઠકમાં BCBએ ગ્રુપ બદલવાની માગ રાખી હતી, જેને ICCએ ઇનકાર કરી દીધો હતો. ICCએ BCBને એ ભરોસો પણ અપાવ્યો કે બાંગ્લાદેશ ટીમને કોઈ ખાસ સુરક્ષા ખતરો નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એ ICCને કહ્યું હતું કે તેને ગ્રુપ-Cની જગ્યાએ બીજા ગ્રુપ-Bમાં સામેલ કરવામાં આવે. બોર્ડનો તર્ક હતો કે આવું થવા પર બાંગ્લાદેશને પોતાની બધી મેચ શ્રીલંકામાં રમવી પડશે, આનાથી યાત્રા અને સુરક્ષાથી જોડાયેલી મુશ્કેલીઓ ઓછી થશે. વર્તમાન શેડ્યૂલ મુજબ, આયર્લેન્ડને તેની ગ્રુપ-B મેચ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઓમાન સામે કોલંબોમાં રમવાની છે, જ્યારે તેમની છેલ્લી મેચ કેન્ડીમાં ઝિમ્બાબ્વે સામે હશે. બીજી તરફ, બાંગ્લાદેશને તેના વર્તમાન ગ્રુપ-Cમાં વેસ્ટ ઇન્ડીઝ, ઇટાલી અને ઇંગ્લેન્ડ સામે કોલકાતામાં ત્રણ મેચ રમવાની છે, જ્યારે છેલ્લી ગ્રુપ મેચ મુંબઈમાં નેપાળ સામે નિર્ધારિત છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. BCCIના કહેવા પર KKRએ તેને 3 જાન્યુઆરીએ ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનાથી ગુસ્સે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. આ પછી, ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી. 7 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની પ્રથમ મેચ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-Cમાં રાખવામાં આવ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ટીમની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે થશે. KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી IPLમાંથી હટાવવા પર વિવાદ 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKR એ તેને રિલીઝ કરી દીધો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *