26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કલામના મહેમાન હતા ઔલખ:PAUના પૂર્વ VC, 87 વર્ષની ઉંમરે પહેલવાનો જેવું શરીર; PMની રેલી થવા ન દીધી




લુધિયાણા સ્થિત પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU)ના પૂર્વ વાઇસ ચાન્સેલર (VC) ડો. કૃપાલ સિંહ ઔલખ ડો. એપીજે અબ્દુલ કલામના રાષ્ટ્રપતિ પદ દરમિયાન દર વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ રહેતા હતા. ડો. કલામ ડો. ઔલખના પહેલવાન જેવા શરીરના પ્રશંસક હતા. તેમણે ડો. ઔલખ પાસે રાષ્ટ્રપતિ ભવનમાં વિધિવત ન્યુટ્રિશન ગાર્ડન બનાવડાવ્યો. જેમાં એવા ફળદાયી વૃક્ષો રોપાવ્યા, જેના પર 12 મહિના ફળ લાગતા હોય. ડો. ઔલખ જણાવે છે કે જ્યારે ન્યુટ્રિશન ગાર્ડનનું કામ પૂરું થયું ત્યારે રાષ્ટ્રપતિએ છેલ્લો છોડ રોપવા માટે તેમને બોલાવ્યા અને તે ગાર્ડનમાં છેલ્લો છોડ તેમના હાથે રોપાયો છે. આટલું જ નહીં, ડો. ઔલખ સિદ્ધાંતો અને સચ્ચાઈ પર અડગ એવા VC છે, જેમણે PAUમાં વડાપ્રધાનની રેલીની પરવાનગી આપી ન હતી. તેમણે પૂર્વ ડેપ્યુટી CM સુખબીર બાદલને ઠપકો આપ્યો હતો. તેમણે મુખ્યમંત્રી પદ દરમિયાન પ્રકાશ સિંહ બાદલની વાત પણ માની ન હતી. ડો. ઔલખની ઉંમર અત્યારે 87 વર્ષ છે. આમ છતાં તેઓ રોજ જીમ કરે છે. તેમના શરીરમાં આજે પણ યુવાનો જેવા સ્નાયુઓ જોવા મળે છે. ડો. એપીજે અબ્દુલ કલામ ડો. ઔલખના પ્રશંસક કેવી રીતે બન્યા, 87 વર્ષની ઉંમરે પણ ડો. સિંહની ફિટનેસનું રહસ્ય શું છે, વાંચો સંપૂર્ણ અહેવાલ… સૌથી પહેલા જાણો, ડોક્ટર કલામ સાથે કેવી રીતે થઈ ટ્યુનિંગ… ડૉ. ઔલખના પહેલવાન અને VC બનવાની કહાની જાણો… VC તરીકે PMO અને CM સુધી ટકરાયા…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *