Bangladesh Bans IPL 2026 Broadcast After Mustafizur Rahman Ouster from KKR | બાંગ્લાદેશે ભારત પર ખાર કાઢ્યો: મુસ્તફિઝુરને કાઢી મૂકતા દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મુક્યો; T-20 વર્લ્ડકપ રમવા પણ ટીમને ભારત નહીં મોકલે
સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલા
- કૉપી લિંક

બાંગ્લાદેશ સરકારે દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંના સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે આ સંબંધમાં નિર્દેશો જારી કર્યા. તેમાં લખવામાં આવ્યું હતું કે BCCIએ 26 માર્ચથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય પાછળ કોઈ નક્કર કે તાર્કિક કારણ નહોતું. આ નિર્ણય બાંગ્લાદેશની જનતા માટે અપમાનજનક, દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. આવી સ્થિતિમાં, આગામી નિર્દેશો સુધી IPLની તમામ મેચોના પ્રચાર, પ્રસારણ અને પુનઃપ્રસારણને બંધ રાખવાના નિર્દેશો આપવામાં આવે છે.
બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયના નિર્દેશો…

એક દિવસ પહેલા રવિવાર, 4 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ રમવા માટે પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, BCBએ ICCને પોતાની મેચ શ્રીલંકામાં કરાવવા વિનંતી કરી હતી. BCBએ આ મીડિયા રિલીઝમાં જાણકારી આપી.

વર્તમાન શેડ્યૂલ મુજબ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની મેચો
| Vs | તારીખ | વેન્યુ |
|---|---|---|
| વેસ્ટ ઇન્ડિઝ | 7 ફેબ્રુઆરી | ઈડન ગાર્ડન્સ, કોલકાતા |
| ઈટાલી | 9 ફેબ્રુઆરી | ઈડન ગાર્ડન્સ, કોલકાતા |
| ઇંગ્લેન્ડ | 14 ફેબ્રુઆરી | ઈડન ગાર્ડન્સ, કોલકાતા |
| નેપાળ | 17 ફેબ્રુઆરી | વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ |
BCCIએ રહેમાનને IPLમાંથી બહાર કર્યો હતો 3 જાન્યુઆરીએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મુસ્તફિઝુરને ટીમમાંથી બહાર કરી દીધો. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા વચ્ચે તેમને ટીમમાંથી હટાવવાની માગ ઉઠી રહી હતી. આ પછી BCCIએ શાહરૂખ ખાનની IPL ટીમ KKRને મુસ્તફિઝુર રહેમાનને હટાવવાનો આદેશ આપ્યો હતો, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો. બાંગ્લાદેશમાં છેલ્લા 16 દિવસમાં 4 હિંદુઓની હત્યા કરવામાં આવી છે.

પાકિસ્તાન પણ ભારતમાં નહીં રમશે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પહેલાથી જ પોતાની મેચ શ્રીલંકામાં શિફ્ટ કરાવી ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય વિવાદોને કારણે બંને ટીમો એકબીજાના દેશમાં ક્રિકેટ રમતી નથી. ભારતે ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનમાં રમી ન હતી. હવે પાકિસ્તાન પણ ભારતમાં ટી-20 વર્લ્ડ કપની મેચો નહીં રમે. અહીં સુધી કે ભારત-પાકિસ્તાન મેચ પણ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. જો બાંગ્લાદેશની મેચો શ્રીલંકા શિફ્ટ થશે તો આવું બીજી ટીમ સાથે થશે, જે વિવાદોને કારણે ભારતમાં વર્લ્ડ કપ નહીં રમશે.
છેલ્લે મુસ્તફિઝુર રહેમાનની કારકિર્દી જુઓ

