Bihar Election 2025 Bhaskar Poll Predicts Close Fight; NDA Ahead | 145-160 સીટ સાથે બિહારમાં NDA સરકાર: મહાગઠબંધનને 73-91 સીટ; JDUનું 59-68 સીટ સાથે કમબેક


બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે બંને તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં 6 નવેમ્બરના રોજ 121 અને બીજા તબક્કામાં 11 નવેમ્બરના રોજ 122 સીટો પર મતદાન થયું. ભાસ્કર રિપોર્ટર્સ પોલમાં NDAને સ્પષ્ટ બહુમતી મળતી નજર આવી રહી છે, જ્યારે મહાગઠબ

.

પ્રશાંત કિશોરની જનસુરાજના ઉમેદવાર 3 સીટો પર સખત મુકાબલામાં છે અને પાર્ટીનું ખાતું ખૂલી શકે છે. બીજી તરફ, અસદુદ્દીન ઓવૈસીની AIMIM માત્ર એક સીટ પર સીમિત થઈ શકે છે. RJD-કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. મહાગઠબંધનના ડેપ્યુટી CM ઉમેદવાર મુકેશ સહનીનું ખાતું ખૂલવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

ઘણી મોટી સીટો પર ઉલટફેરની સ્થિતિ નજર આવી રહી છે. આમાં ડેપ્યુટી CM વિજય સિંહાની સીટ લખીસરાય, મૈથિલી ઠાકુરની અલીનગર, તેજપ્રતાપ યાદવની મહુઆ, રામકૃપાલ યાદવની દાનાપુર અને સમ્રાટ ચૌધરીની તારાપુર સીટ પર હાલમાં સખત ટક્કર જોવા મળી રહી છે.

બિહાર ચૂંટણીમાં ભાસ્કરના 400થી વધુ રિપોર્ટર ગ્રાઉન્ડ પર હાજર રહ્યા. ગ્રાઉન્ડ પરથી મળેલા ઇનપુટને લઈને અમે 5 સિનિયર જર્નાલિસ્ટ, 2 સેફોલોજિસ્ટ્સ અને 4 પોલિટિકલ એક્સપર્ટ સાથે ચર્ચા કરી. આ ઉપરાંત પોલિટિકલ પાર્ટીઓના ઇન્ટરનલ સર્વેમાંથી મળેલા ઇનપુટના આધારે આ સર્વે રિઝલ્ટ તૈયાર કર્યો છે.

વલણો શું કહી રહ્યા છે: NDA: 2020ની ચૂંટણીમાં NDAને 125 સીટો મળી હતી. આ વખતે 20-35 સીટોનો ફાયદો થતો નજર આવી રહ્યો છે.

  • JDU: મોટો ફાયદો JDUને થઈ શકે છે. 2020માં JDUએ 43 સીટો જીતી હતી, જે આ વખતે વધીને 59-68 સુધી જઈ શકે છે. એટલે કે પાર્ટીને 16-25 સીટોનો ફાયદો થઈ શકે છે.
  • BJP: BJPએ 2020ની ચૂંટણીમાં 74 સીટો જીતી હતી. આ વખતે તે પોતાની જૂની સીટો બચાવી રહી છે અને 8 સીટો પર સખત ટક્કરમાં છે. તેની સીટો 72-82 સુધી રહી શકે છે.
  • LJP(R)- HAM-RLM​​​​​​​: ચિરાગ પાસવાનની LJP-R 28 સીટો પર ચૂંટણી લડી હતી, પણ તે 4-5 સીટો પર જ આગળ નજર આવી રહી છે. બીજી તરફ ઉપેન્દ્ર કુશવાહાની RLMનું ખાતું ખૂલવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

મહાગઠબંધન: 2020માં મહાગઠબંધનને 110 સીટો મળી હતી. આ વખતે 19-37 સીટોનું નુકસાન થતું નજર આવી રહ્યું છે. સીટો ઘટીને 73થી 91 સુધી રહેવાનું વલણ છે.

RJD: RJD સૌથી વધુ નુકસાનમાં દેખાઈ રહી છે. 2020માં પાર્ટીએ 75 સીટો જીતી હતી. આ વખતે 12-24 સીટોનું નુકસાન થઈ શકે છે.

કોંગ્રેસ: કોંગ્રેસે આ વખતે 59 સીટો પર ચૂંટણી લડી છે. પાર્ટી માત્ર 12-15 સીટો પર આગળ નજર આવી રહી છે. 2020માં કોંગ્રેસે 19 સીટો જીતી હતી.

VIP: મુકેશ સહનીની VIPએ 13 સીટો પર ચૂંટણી લડી હતી. જોકે વલણોમાં પાર્ટી કોઈ પણ સીટ પર આગળ નથી.

CPI(ML)-CPI-CPM: લેફ્ટની વાત કરીએ તો CPI-ML પણ નુકસાનમાં નજર આવી રહી છે. ગત વખતે પાર્ટીએ 12 સીટો જીતી હતી, આ વખતે માત્ર 6-9 પર આગળ છે. પાર્ટીને 6-3 સીટોનું નુકસાન થઈ શકે છે.

CPI 2 સીટો પર આગળ છે, જ્યારે CPM-IIP પણ 1-1 સીટ પર આગળ નજર આવી રહી છે.

9 બેઠકો પર મહાગઠબંધનમાં આંતરિક લડાઈ

  • દરભંગાની કુશેશ્વર સ્થાન સીટ પરથી ગણેશ ભારતી સદાએ VIP ઉપરાંત, અપક્ષ ઉમેદવાર તરીકે પણ ફોર્મ ભર્યું હતું. ફોર્મ પર VIPના રાષ્ટ્રીય અધ્યક્ષની સહી ન હોવાના કારણે પાર્ટીનું ફોર્મ રદ થયું. હવે તે અપક્ષ લડી રહ્યા છે, પણ તેમને VIP અને મહાગઠબંધનનો સપોર્ટ છે.
  • દરભંગા જિલ્લાની ગૌરા બૌરામ સીટ પર VIPના સંતોષ સહની અને RJDની ટિકિટ પર અફઝલ અલી ખાં બંને ચૂંટણી લડી રહ્યા હતા, બાદમાં સંતોષ સહનીએ નામ પાછું ખેંચી લીધું.
  • બેગૂસરાય જિલ્લાની બછવાડા સીટ પર કોંગ્રેસની ટિકિટ પર શિવપ્રકાશ અને CPIના અવધેશ કુમાર રાય બંને ચૂંટણી લડી રહ્યા છે.
  • નાલંદા જિલ્લાની બિહાર શરીફ સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમૈર ખાં અને CPIના શિવકુમાર ચૂંટણી લડી રહ્યા છે.
  • વૈશાલી જિલ્લાની રાજાપાકર સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના પ્રતિમા અને CPIના મોહિત પાસવાન સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ વૈશાલી સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના સંજીવ કુમાર અને RJDના અજય કુશવાહા ચૂંટણી લડી રહ્યા છે.
  • જમુઈ જિલ્લાની સિકંદરા સીટ પર મહાગઠબંધનમાંથી RJDના ઉદય નારાયણ ચૌધરી અને કોંગ્રેસના વિનોદ ચૌધરી બંને ચૂંટણી લડી રહ્યા છે.
  • ભાગલપુર જિલ્લાની કહલગાંવ સીટ પર મહાગઠબંધનમાંથી RJDના રજનીશ ભારતી અને કોંગ્રેસના પ્રવીણ કુશવાહા બંને ચૂંટણી લડી રહ્યા છે. સાથે જ સુલતાનગંજ સીટ પર પણ મહાગઠબંધનમાંથી કોંગ્રેસના લલન કુમાર યાદવ અને RJDના ચંદન કુમાર સિંહ ચૂંટણી લડી રહ્યા છે.
  • રોહતાસ જિલ્લાની કરગહર સીટ પર મહાગઠબંધનમાંથી કોંગ્રેસના સંતોષ મિશ્રા અને CPI-MLના મહેન્દ્ર સાહૂ બંને ચૂંટણી લડી રહ્યા છે.
  • કૈમૂરના ચૈનપુર સીટ પર મહાગઠબંધનમાંથી RJDના બ્રિજકિશોર બિંદ અને VIPના બલગોવિંદ બિંદ બંને ચૂંટણી લડી રહ્યા છે.
  • મઢૌરાથી LJP(R)ના ઉમેદવાર સીમાનું નામાંકન રદ થઈ ગયું છે. તેથી NDAના 242 ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે.

એક્સપર્ટ પેનલનું વિશ્લેષણ: 1. મનગમતી પાર્ટી અને વોટરની જાતિનું ઉમેદવારનું સમીકરણ લોકો હજી પણ મનગમતી પાર્ટી અને પોતાની જાતિના ઉમેદવારના સમીકરણને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. વોટિંગ નક્કી કરવામાં જાતિ એક મોટું પરિબળ બની રહ્યું છે.

વોટ વાઇબના સ્થાપક અને સેફોલોજિસ્ટ અમિતાભ તિવારીના જણાવ્યા અનુસાર, અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 55% ભારતીયો તેમની પોતાની જાતિના લોકોને મત આપે છે. બિહારમાં, આ આંકડો 57% છે. લોકો એ સ્વીકારવાનો ઇનકાર કરે છે કે તેઓ જાતિના આધારે મતદાન કરે છે, પરંતુ બિહારમાં આ એક મુખ્ય પરિબળ છે.

અમિતાભ તિવારી વધુમાં ઉમેરે છે કે, “આ વખતે પણ મુસ્લિમ-યાદવ સમુદાય મહાગઠબંધનને મત આપી રહ્યો છે. ઉચ્ચ જાતિના મત બેંકમાં NDA થોડો ગેરલાભમાં છે; આ મતો જનસુરાજને જઈ શકે છે. દલિતોમાં, પાસવાન અને માંઝી NDAને મત આપે છે, જ્યારે રવિદાસ સમુદાય BSP અને કોંગ્રેસને મત આપે છે. કુર્મી અને બનિયા જેવા બિન-યાદવ OBC NDAને મત આપે છે.”

2. ચિરાગ અને ઉપેન્દ્ર કુશવાહાએ NDAને મજબૂત કર્યું સિનિયર જર્નાલિસ્ટ અરુણ પાંડેના મતે, NDAને ઉપેન્દ્ર કુશવાહા અને ચિરાગ પાસવાનના સાથે આવવાનો સીધો ફાયદો મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં આ બંનેએ NDAને 42 સીટો પર નુકસાન પહોંચાડ્યું હતું.

ANIના બિહાર બ્યૂરો ચીફ મુકેશ સિંહ કહે છે કે ચિરાગ પાસવાનના આવવાથી NDAને ફાયદો થશે, પણ મુકેશ સહનીના મહાગઠબંધનમાં આવવા છતાં તેમનો વોટબેંક પાછો નથી આવી રહ્યો.

પોલિટિકલ એક્સપર્ટ પ્રિયદર્શી રંજનનું માનવું છે કે NDAની મજબૂતીનું સૌથી મોટું કારણ તેનું સામાજિક અને જાતીય સંતુલન છે. સમ્રાટ ચૌધરીને ડેપ્યુટી CM બનાવીને કુશવાહા વોટબેંકને સાધવામાં આવ્યો.

“ઉપેન્દ્ર કુશવાહાના એનડીએમાં પાછા ફરવાથી કુશવાહાના મત સંપૂર્ણપણે સ્થિર થઈ ગયા છે, જે બિહારની મોટાભાગની બેઠકો પર નિર્ણાયક પરિબળ છે. ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી પણ એનડીએનો ભાગ છે, જેનાથી દલિત મતોને ફાયદો થયો છે.”

અંગ્રેજી અખબાર “ધ હિન્દુ”ના બિહારના હેડ અમરનાથ તિવારી, જેડીયુના વાપસી પાછળ ચિરાગ પાસવાનને મુખ્ય પરિબળ ગણાવે છે. અમરનાથના મતે, “ચિરાગ પાસવાન 2020માં એનડીએ, ખાસ કરીને જેડીયુને નબળા પાડવામાં મુખ્ય પરિબળ હતા.”

“ચિરાગે 137 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 35 બેઠકો પર જેડીયુને સીધું નુકસાન પહોંચાડ્યું હતું. આ વખતે, તેમના વાપસીથી એનડીએની વોટ બેંક મજબૂત થઈ છે. જેડીયુને સૌથી વધુ નુકસાન થયું છે, તેથી તેમને સૌથી વધુ ફાયદો થશે.”

અમરનાથ આગળ કહે છે, “ચિરાગ આ વખતે એનડીએ સાથે છે. જો જેડીયુ 50થી વધુ બેઠકો જીતે છે, તો નીતિશ કુમાર ફરીથી સીએમ રેસમાં હશે. જો કે, ભાજપ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જેડીયુ 50 બેઠકોનો આંકડો પાર ન કરે. જો કે, ભાજપ પણ નીતિશ કુમારને છોડી દેવા માંગતી નથી કારણ કે નીતિશ કુમારની EBC વોટ બેંક પર મજબૂત પકડ છે, અને ભાજપ તેને ગુમાવવા માંગતી નથી.”

પ્રો. શેફાલી રોયના મતે, “મહાગઠબંધનની તાકાત MY (મુસ્લિમ-યાદવ) મત છે, જે લગભગ સ્થિર રહે છે.” NDAની અંદર JDU વધુ મજબૂત થઈ રહ્યું હોય તેવું લાગે છે. ભાજપની નીતિ JDUને બાજુ પર રાખવાની રહી છે, ટિકિટો પણ એવી રીતે વહેંચવામાં આવે છે કે જો JDU નબળું પડે તો તેઓ પોતાના મુખ્યમંત્રી સ્થાપિત કરી શકે.

“જોકે, નીતિશ કોઈ શિખાઉ નથી. કુશવાહા-કુર્મી સમુદાયમાં તેમની મજબૂત પકડ છે. NDA પાસે ગઠબંધનોમાં પણ વધુ સારી જાતિ સંયોજન છે. કુશવાહા અને મંડલ પણ તેમના પક્ષમાં છે.”

3. મહિલા વોટર નીતિશ સાથે ઇંગ્લિશ અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના બિહાર હેડ સંતોષ સિંહ કહે છે, ‘જમીન પર નીતિશ કુમારની અસર છે. BJPનું સંગઠન તેની તાકાત છે. મહિલા વોટ NDA અને નીતિશની સાથે બની રહ્યો છે.’

સેફોલોજિસ્ટ અને વોટ વાઇબના ફાઉન્ડર અમિતાભ તિવારી કહે છે, ‘મહિલા વોટ નીતિશની સાથે છે. સરકારે 1.21 કરોડ મહિલાઓને ₹10,000 રૂપિયા ડિસ્ટ્રિબ્યૂટ કર્યા છે.’

‘આ બિહારના કુલ મહિલા વોટરના 35% છે. ભારતમાં એક પરિવારમાં ત્રણ વોટર માનવામાં આવે છે. 1.21 કરોડ મહિલાઓના હિસાબે જોઈએ, તો આ યોજના 3.63 કરોડ વોટર્સ પર અસર કરશે. બિહારમાં કુલ 7.4 કરોડ વોટર છે, એટલે કે આ સ્કીમ અડધા વોટર બેઝને ઇમ્પેક્ટ કરે છે.’

ન્યૂઝ એજન્સી ANIના બિહાર હેડ મુકેશ સિંહના મતે, ‘₹10,000 રૂપિયા સીધા એકાઉન્ટમાં જઈ રહ્યા છે, ફ્રી વીજળીની અસર પણ દેખાઈ રહ્યો છે. આમાં કોઈ બેમત નથી કે આનાથી ક્યાંકને ક્યાંક વોટર પ્રભાવિત થયા છે. તેમના મનમાં એક ડર પણ છે કે નીતિશ કે NDAની સરકાર નહીં આવે તો ₹10,000 રૂપિયા મળવાના બંધ થઈ જશે.’

બીજી તરફ ઇંગ્લિશ અખબાર ‘ધ હિંદુ’ના બિહાર હેડ અમરનાથ તિવારી જણાવે છે, ‘નીતિશ કુમાર હજી પણ ઘણા લોકપ્રિય છે, ખાસ કરીને મહિલાઓની વચ્ચે.’

‘પુરુષ વોટર્સમાં થોડી ફરિયાદો છે કે નીતિશ કુમારની તબિયત ઠીક નથી, પણ મહિલાઓ તેમને પસંદ કરે છે. તેમણે નીતિશની સ્કીમને ’10 હજારિયા’ નામ આપ્યું છે.’

4. નીતિશ વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી નહીં, યોજનાઓથી લોકો ખુશ પટના યુનિવર્સિટીના રાજનીતિ વિજ્ઞાન વિભાગમાં પ્રોફેસર રાકેશ રંજન પહેલા તબક્કામાં લગભગ 7% વધેલા વોટિંગને સત્તાધારી NDAના પક્ષમાં માને છે. તેમનું માનવું છે કે આ એન્ટી-ઇન્કમ્બન્સીનો સંકેત નથી, પણ લોકોમાં નીતિશ કુમારને ફેરવેલ આપવાની હવા છે. સૈદ્ધાંતિક રીતે વધેલું વોટિંગ એન્ટી-ઇન્કમ્બન્સી બતાવે છે.’

સિનિયર જર્નાલિસ્ટ અરુણ પાંડેના મતે, ‘તેજસ્વી માટે સૌથી મોટી મુશ્કેલી છે કે 20 વર્ષ પછી પણ નીતિશ વિરુદ્ધ કોઈ એન્ટી-ઇન્કમ્બન્સી નથી.’

સિટી પોસ્ટના સંપાદક શ્રીકાંત પ્રત્યૂષ પહેલા તબક્કામાં 7% વધેલા વોટિંગને પ્રો-ઇન્કમ્બન્સીનું પ્રમાણ માને છે. તે કહે છે કે નીતિશ કુમારની લોકપ્રિય ઘોષણાઓએ એન્ટી-ઇન્કમ્બન્સીને નબળી પાડી દીધી. એન્ટી-ઇન્કમ્બન્સી ગ્રાઉન્ડ લેવલ પર દેખાઈ નથી રહી.

વધેલા વોટિંગની પાછળનું કારણ પૂછવા પર શ્રીકાંત કહે છે, ‘નીતિશ કુમારના 20 વર્ષ સત્તામાં રહેવા પર એન્ટી-ઇન્કમ્બન્સીની આશા હતી, પણ ચૂંટણીના બરાબર પહેલા 17-18 લોકપ્રિય ઘોષણાઓએ તેને પ્રો-ઇન્કમ્બન્સીમાં બદલી દીધું.’

પોલિટિકલ એક્સપર્ટ પ્રિયદર્શી રંજનના મતે, ‘સત્તામાં રહેવાનો ફાયદો NDAને મળી રહ્યો છે. નીતિશ કુમારે પોતાના નિર્ણયો અને યોજનાઓને જલ્દી લાગુ કરીને જનતા સાથે સીધો જોડાણ બનાવ્યો. તેજસ્વી પણ ઘણી પ્રકારની યોજનાઓના લાભ આપવાની જાહેરાત કરી રહ્યા હતા, પણ તેને લાગુ કરી શકતા નથી.’

‘વળી બીજી તરફ નીતિશે સરકારમાં રહેતા ફ્રી વીજળી આપવા, મહિલાઓના ખાતામાં પૈસા આપવા જેવી યોજનાઓની જાહેરાત કરી અને તેને તરત લાગુ પણ કરી દીધું, જેનાથી લોકોને તરત લાભ મળ્યો. 125 યુનિટ ફ્રી વીજળી, મહિલાઓને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અને જીવિકા દીદી નેટવર્ક જેવી યોજનાઓએ ગ્રામીણ અને મહિલા મતદારોને JDUના પક્ષમાં લાવવામાં મોટી ભૂમિકા ભજવી.’

જોકે સેફોલોજિસ્ટ યોગેન્દ્ર યાદવ આ પ્રકારની સ્કીમોને ઘાતક જણાવે છે. તે કહે છે, ‘હવે બધી જગ્યાએ લાંચની પરંપરા બની ગઈ છે. આ પહેલા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયું, હવે બિહારમાં પણ એ જ દેખાઈ રહ્યું છે.’

જોકે, યોગેન્દ્ર એવું માને છે કે બિહારની DBT સ્કીમો ખાસ કરીને જીવિકાથી ચૂંટણીમાં રૂલિંગ પાર્ટી એટલે કે NDAને ફાયદો થતો નજર આવી રહ્યો છે.

5. RJDની જૂની ઇમેજ હજી પણ મુદ્દો પટના યુનિવર્સિટીના પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના ડાયરેક્ટર પ્રો. શેફાલી રૉય જણાવે છે કે પિતા લાલુ પ્રસાદ યાદવના સમયને લઈને બનેલી જંગલરાજવાળી ઇમેજમાંથી તેજસ્વી બહાર નથી આવી શક્યા. કારણ જે પણ હોય, લોકોના મનમાં આજે પણ 2005 પહેલાનો બિહાર તાજો છે.

ઇંગ્લિશ અખબાર ‘ધ હિંદુ’ના બિહાર હેડ અમરનાથ તિવારીના મતે, ‘તેજસ્વી યાદવ હજી પણ પોતાના માતા-પિતાની વિરાસત સાથે જોડાયેલા 2005 પહેલાના ‘લૉલેસનેસ’ (અરાજકતા)ના નૈરેટિવમાંથી બહાર નથી નીકળી શક્યા. BJP અને NDA સતત આ મુદ્દો ઉઠાવીને લોકોને યાદ અપાવતા રહ્યા કે જો વિપક્ષ સત્તામાં આવ્યો તો ફરી અવ્યવસ્થા પાછી આવશે.’

પ્રો. શેફાલી રૉય કહે છે, ‘વોટિંગ બિહેવિયરની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પણ BJPની લહેર, નીતિશ કુમારનો ચહેરો અને ગઠબંધનની તાકાત NDAને આગળ રાખી રહી છે. હાલમાં BJPની એક લહેર છે અને પછી નીતિશનો બિહારમાં ચહેરો બોલે છે. એવામાં એજ તો NDAની તરફ જ છે.’

6. મોદી હજી પણ બિહારમાં લોકપ્રિય, પ્રશાંતની અસર નહીં પ્રો. શેફાલી રૉય NDAને મજબૂત સ્થિતિમાં માને છે. તેમના મતે, આ વખતે બિહારમાં BJPની લહેર છે.

ઇંગ્લિશ અખબાર ધ હિંદુના સિનિયર જર્નાલિસ્ટ અમરનાથ તિવારી જણાવે છે, ‘નરેન્દ્ર મોદી હજી પણ બિહારમાં સૌથી લોકપ્રિય નેતા છે. તેમની મજબૂત છબીનું નૈરેટિવ ચાલી રહ્યું છે, જે કોઈ ખાસ જાતિથી જોડાયેલું નથી.’

‘પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પોતાને NDA અને મહાગઠબંધન ઉપરાંત ત્રીજા વિકલ્પ તરીકે પ્રોજેક્ટ કરી રહી છે, પણ ગ્રાઉન્ડ પર તેનો કોઈ અસર નથી દેખાયો. તેમણે 243માંથી 3 સીટો પર ઉમેદવાર પાછા લઈ લીધા છે અને 240 સીટોમાંથી કોઈ એક પર પણ જીતની સંભાવના નથી લાગતી.’

‘ધ હિંદુ’ના બિહાર હેડ અમરનાથ તિવારીના મતે, નરેન્દ્ર મોદી હજી પણ બિહારમાં સૌથી લોકપ્રિય નેતા છે. તેમનો મજબૂત છબીનો નૈરેટિવ ચાલી રહ્યો છે, જે કોઈ ખાસ જાતિથી જોડાયેલો નથી. NDAને આનો પણ ફાયદો થવાનો છે.’

સિટી પોસ્ટના સંપાદક શ્રીકાંત પ્રત્યૂષનું માનવું છે કે પ્રશાંત કિશોરનો ગ્રાફ શરૂઆતમાં તેજીથી ઉપર ચઢ્યો, સર્વેમાં 20% લોકોની મુખ્યમંત્રી માટે પસંદ હતા. પણ ગ્રાઉન્ડ પર ‘લીપ ઓફ ફેથ’ ન દેખાઈ.

7. મહાગઠબંધન માટે કોંગ્રેસ અને VIP નબળી કડી પ્રો. શેફાલી રૉય કોંગ્રેસને મહાગઠબંધનની સૌથી નબળી કડી માને છે. તેમના મતે, ‘કોંગ્રેસ ડબલ ડિજિટથી પણ નીચે આવીને 9 સીટો પર સીમિત થઈ શકે છે. તેને ખરાબ ટિકિટ ડિસ્ટ્રિબ્યુશન ભારે પડવાનું છે. કોંગ્રેસે શરૂઆતથી જ મહાગઠબંધનમાં CMનો ચહેરો ઘોષિત ન કર્યો, જેનાથી અસમંજસની સ્થિતિ બની. 8 જગ્યાએ ફ્રેન્ડલી ફાઇટ છે. આનો ભોગ કોંગ્રેસને ભોગવવો પડશે.’

પોલિટિકલ એક્સપર્ટ પ્રિયદર્શી રંજનના મતે, ‘મહાગઠબંધન આ ચૂંટણીમાં બાકી અન્ય ચૂંટણીઓની અપેક્ષાએ સૌથી નબળું છે. RJD, કોંગ્રેસ અને વામદળો વચ્ચે સંકલન નબળું પડ્યું.’

‘આ ઉપરાંત મુસલમાન મતદારોમાં અસંતોષ મોટો પરિબળ બન્યો, કારણ કે તેમને કોઈ મુખ્ય ચહેરો ન મળ્યો. સીમાંચલ ક્ષેત્રમાં ઓવૈસી ફેક્ટરે RJDના વોટને નુકસાન પહોંચાડ્યું. કોંગ્રેસ અને લેફ્ટના નબળા ગ્રાઉન્ડ નેટવર્કે RJDને એકલું છોડી દીધું.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *