BSNL Director Protocol Controversy | Prayagraj Officials Royal Treatment


9 કલાક પેહલા

  • કૉપી લિંક

જાહેર ક્ષેત્રની કંપનીઓમાં જવાબદારી અને પારદર્શિતાને લઈને અવારનવાર સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ તાજેતરના ઘટનાક્રમે આ ચર્ચાને ફરી તેજ કરી દીધી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના ડાયરેક્ટર, (CFA, કન્ઝ્યુમર ફિક્સ્ડ એક્સેસ) વિવેક બંજલની પ્રયાગરાજ મુલાકાત સાથે જોડાયેલું આંતરિક સર્ક્યુલર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. સર્ક્યુલરમાં VIP પ્રોટોકોલ અને વિશેષ વ્યવસ્થાઓ માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આ મામલાને ગંભીર ગણીને સરકારે સંબંધિત ડિરેક્ટરને ‘કારણ બતાવો નોટિસ’ પાઠવી છે અને સ્પષ્ટતા માગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્દેશોમાં સ્થાનિક અધિકારીઓને વિશેષ સ્વાગત અને પ્રોટોકોલનું પાલન કરવાના આદેશો સામેલ હતા, જેને અનુચિત ગણાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ BSNL હેડક્વાર્ટરે પણ મામલાની સમીક્ષા શરૂ કરી દીધી છે.

ડિરેક્ટરને સાત દિવસમાં જવાબ આપવા માટે કારણ બતાવો નોટિસ જાહેર

ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આવું કંઈપણ બિલકુલ સહન કરી શકાય નહીં. આ અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે જવાબ સાંભળ્યા બાદ નક્કી કરવામાં આવશે કે શું કાર્યવાહી કરવી. તેમણે ઉમેર્યું, “મેં એ સ્પષ્ટ કરી દીધું છે કે આ ખોટું છે અને અગાઉથી બનેલા નિયમો તથા પરંપરાઓનું ઉલ્લંઘન છે. આ મને જરાય મંજૂર નથી. આ ખરેખર ચોંકાવનારું છે. ડિરેક્ટર વિવેક બંજલને સાત દિવસમાં જવાબ આપવા માટે અગાઉથી જ કારણ બતાવો નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. અમે યોગ્ય કાર્યવાહી કરીશું.”

આ મામલે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભડકી ઉઠ્યા છે. તેમણે તેને ચોંકાવનારું ગણાવ્યું છે.

આ મામલે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભડકી ઉઠ્યા છે. તેમણે તેને ચોંકાવનારું ગણાવ્યું છે.

‘રોયલ પ્રોટોકોલ’ની સોશિયલ મીડિયા પર ચર્ચા

જાહેર ક્ષેત્રની કંપની BSNL ચર્ચામાં આવવાનું કારણ વિવેક બંજલની પ્રયાગરાજ મુલાકાત માટે તૈયાર કરવામાં આવેલો એવો ‘રોયલ પ્રોટોકોલ’ છે, જેણે સોશિયલ મીડિયા પર આવતાંની સાથે જ ખળભળાટ મચાવી દીધો હતો. 50 કર્મચારીની તહેનાતી, સ્નાન કિટથી લઈને ટુવાલ-અંડરવેર સુધીની વ્યવસ્થા અને મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ. બધું જ એટલું વિગતવાર હતું કે લોકોએ એને VIP સંસ્કૃતિની પરાકાષ્ઠા ગણાવી દીધી.

50થી વધુ અધિકારીઓ-કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી

આ મામલો 19 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા એક સત્તાવાર પત્ર સાથે જોડાયેલો છે, જે ડેપ્યુટી જનરલ મેનેજર કક્ષાએથી જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં વિવેક બંજલની બે દિવસની મુલાકાત માટે 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને 21 અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

ઓર્ડર મુજબ પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ઔપચારિક સ્વાગતથી લઈને ત્રિવેણી સંગમ સ્નાન, મંદિર દર્શન, બોટની વ્યવસ્થા, ભોજન, પરિવહન અને અંગત સુવિધાઓ સુધીનો આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ વિવાદ ઊભો થયો હતો. કથિત રીતે મુલાકાત દરમિયાન કરવામાં આવનારી વ્યવસ્થાઓની યાદી જોઈને લોકો ચોંકી ગયા હતા. એના કારણે માત્ર આલોચના જ ન થઈ, પરંતુ પ્રસ્તાવિત પ્રવાસ પણ રદ કરવો પડ્યો હતો.

પ્રોટોકોલ પર BSNLએ જવાબ ન આપ્યો

BSNLના જનસંપર્ક અધિકારી આશિષ ગુપ્તાએ મુલાકાત રદ થયાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ડિરેક્ટરનો કાર્યક્રમ નિરસ્ત થઈ ચૂક્યો છે. આ સંજોગોમાં જાહેર કરવામાં આવેલો પ્રોટોકોલ હવે અમાન્ય ગણવામાં આવે, જોકે પ્રોટોકોલને લઈને ઊઠેલા સવાલો પર તેમણે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ મામલે પ્રયાગરાજ બિઝનેસ એરિયાના પ્રિન્સિપાલ જનરલ મેનેજર બ્રિજેન્દ્ર કુમાર સિંહ અને DGM જાગેશ્વર વર્મા પર કાર્યવાહી કરવામાં આવી છે. GMની બદલી આંધ્રપ્રદેશમાં, જ્યારે DGMની બદલી નોર્થ સર્કલમાં કરવામાં આવી છે.

બ્રિજેન્દ્ર કુમાર સિંહને પ્રિન્સિપાલ જનરલ મેનેજર બિઝનેસ એરિયા શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશના પદ પર નવી નિમણૂક આપવામાં આવી છે. બીજી તરફ DGM જાગેશ્વર વર્માને કર નેટવર્ક ટ્રાન્સમિશન નોર્થ યુનિટમાં મોકલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે વિવાદિત પ્રોટોકોલ પ્રિન્સિપાલ જનરલ મેનેજરની ઓફિસમાંથી જાહેર કરવામાં આવ્યો હતો અને તેના પર DGMની સહી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *