India held up a mirror by calling it Terroristan, but Pakistan was left confused. | ભારતે ટેરરિસ્તાન કહીને બતાવ્યો અરીસો તો અકળાયું પાકિસ્તાન: UNમાં PAKએ કહ્યું- ભારત અમારુ નામ બગાડી રહ્યું છે; આ અમારા દેશનું અપમાન છે
ન્યુ યોર્ક1 કલાક પેહલા
- કૉપી લિંક

પાકિસ્તાની રાજદ્વારી મોહમ્મદ રશીદે શનિવારે પોતાના દેશને ટેરરિસ્તાન કહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
UNમાં ભારત દ્વારા કડક શબ્દોમાં ઠપકો મળ્યા બાદ પાકિસ્તાન અકળાઈ ઉઠ્યું છે. પાકિસ્તાને UNમાં ભારત પર તેનું નામ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. UNમાં ભારતીય રાજદ્વારી દ્વારા પાકિસ્તાનને “ટેરરિસ્તાન” કહેવા બદલ તેણે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાની રાજદ્વારી મોહમ્મદ રશીદે આ અંગે કહ્યું કે તે ખૂબ જ શરમજનક છે કે ભારત એટલું નીચે પડી ગયું છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશનું નામ બગાડી રહ્યું છે.
પાકિસ્તાને ભારત પર નામ બગાડવાના આરોપ લગાવ્યા છે અને ભારતીય રાજદ્વારી દ્વારા તેને ‘ટેરરિસ્તાન’ કહેવા પર નારાજગી વ્યક્ત કરી છે.
ખરેખરમાં, UNમાં રવિવારે ભારતીય અને પાકિસ્તાની રાજદ્વારીઓ એકબીજાને જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, ભારતીય રાજદ્વારી રેન્ટેલા શ્રીનિવાસ, પાકિસ્તાનનું નામ લીધા વિના, તેને “ટેરરિસ્તાન” કહ્યું હતું.
આ અંગે નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાની રાજદ્વારી મોહમ્મદ રશીદે કહ્યું,
એ ખૂબ જ દુઃખદ છે કે ભારત એટલું નીચું પડી ગયું છે કે એક દેશનું નામ પણ તોડી-મરોડીને રજુ કરી રહ્યું છે. આ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. તે ભારતની હતાશા અને અપરિપક્વતા દર્શાવે છે.

રશીદે આરોપ લગાવ્યો કે ભારત પોતે આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને તેની ગુપ્તચર એજન્સીઓ પડોશી દેશોને અસ્થિર કરવામાં સામેલ છે.
તે વીડિયો સાંભળો જેમાં પાકિસ્તાનને આતંકવાદી કહેવામાં આવ્યું હતું…
જયશંકરના ભાષણ પર ચર્ચા શરૂ થઈ
વિદેશ મંત્રી જયશંકરના ભાષણ પર ભારતીય અને પાકિસ્તાની રાજદ્વારીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ.
27 સપ્ટેમ્બરના રોજ UNમાં પોતાના ભાષણમાં, જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓની પ્રશંસા થાય છે.
આનો જવાબ આપતા પાકિસ્તાની રાજદ્વારી રાશિદે કહ્યું કે આ પાકિસ્તાનને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને 90,000 થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાન આતંકવાદ સામે પોતાની લડાઈ લડી રહ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ છે.
આનો વિરોધ કરતા શ્રીનિવાસે કહ્યું,
પાકિસ્તાન તેના પોતાના કાર્યો દ્વારા જ ઓળખાય છે. તેની છાપ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આતંકવાદમાં સ્પષ્ટપણે દેખાય છે. તે ફક્ત તેના પડોશીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જોખમી છે. ગમે તેટલા તર્ક કે જૂઠાણાથી ટેરરિસ્તાનના ગુનાઓ છુપાવી શકાતા નથી.


રાશિદના નિવેદન પછી, શ્રીનિવાસ બહાર નીકળી ગયા અને પોતાની ખુરશી છોડી દીધી.
જયશંકરે UNમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો
જયશંકરે પહેલગામ હુમલાને સરહદ પારના આતંકવાદનું સૌથી હાલનું ઉદાહરણ ગણાવ્યું અને તેને એક ક્રૂર આતંકવાદી હુમલો ગણાવ્યો.
જયશંકરે કહ્યું કે ભારતે પોતાના લોકોને આતંકવાદથી બચાવવાના અધિકારનો ઉપયોગ કર્યો છે અને આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું, “આતંકવાદી માળખાને તોડી પાડવું જરૂરી છે. આતંકવાદીઓ સામે લડવું હંમેશા ભારતની પ્રાથમિકતા રહી છે.”

જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદી અડ્ડાઓ મોટા પાયે કાર્યરત છે, આતંકવાદીઓના ખુલ્લેઆમ ગુણગાન ગાવામાં આવે છે, અને આતંકવાદી ભંડોળ રોકવું જોઈએ. જયશંકરે તેમના ભાષણમાં “ઈન્ડિયા” ને બદલે ભારત શબ્દનો ઉપયોગ કર્યો હતો.