Masood Azhar Viral Audio Update; Claims Thousands Suicide Bombers Ready | એક-બે કે 100 નહીં અમારી પાસે હજારો સુસાઈડ બોમ્બર તૈયાર: જૈશ-એ-મોહમ્મદ ચીફની ખુલ્લી ધમકી, આતંકી મસૂદ અઝહરની નવી ઓડિયો ક્લિપ વાઇરલ


ઇસ્લામાબાદ17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાકિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરના નામથી એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં મસૂદ અઝહર કથિત રીતે દાવો કરે છે કે જૈશ પાસે હુમલા કરવા માટે હજારો આત્મઘાતી હુમલાખોરો તૈયાર છે.

જોકે, આ ઓડિયોની તારીખ અને તેની સત્યતાની પુષ્ટિ થઈ શકી નથી. ઓડિયોમાં મસૂદ અઝહર એમ કહેતો સંભળાય છે કે તેના સંગઠનમાં એક-બે, સો કે હજાર લોકો નથી.

તે દાવો કરે છે કે જો સાચી સંખ્યા જણાવી દેવામાં આવે, તો હોબાળો મચી જશે. તે એમ પણ કહે છે કે તેના લડવૈયાઓ કોઈ પૈસા, વિઝા કે અંગત ફાયદા માટે લડતા નથી, પરંતુ માત્ર શહાદત ઇચ્છે છે.

સંસદ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે આતંકવાદી અઝહર

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર 2001માં ભારતની સંસદ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યો છે. મસૂદ 2016માં થયેલા પઠાણકોટ હુમલાનો પણ માસ્ટરમાઇન્ડ છે.

આ મામલે દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ, મસૂદે ભારત પર હુમલાઓ માટે જૈશ-એ-મોહમ્મદના કેડરનો ઉપયોગ કર્યો હતો. તેણે 2005માં અયોધ્યામાં રામ જન્મભૂમિ અને 2019માં પુલવામામાં CRPFના જવાનો પર પણ હુમલો કરાવ્યો હતો.

આ ઉપરાંત મસૂદ 2016માં ઉરી હુમલા અને અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતીય કોન્સ્યુલેટ પર થયેલા હુમલા માટે પણ જવાબદાર છે.

1994માં પહેલીવાર ભારત આવ્યો હતો મસૂદ અઝહર

મસૂદ અઝહર પહેલીવાર 29 જાન્યુઆરી, 1994ના રોજ બાંગ્લાદેશથી વિમાનમાં સવાર થઈને ઢાકાથી દિલ્હી પહોંચ્યો હતો. 1994માં અઝહર નકલી ઓળખ બનાવીને શ્રીનગરમાં દાખલ થયો હતો. તેનો હેતુ હરકત-ઉલ-જિહાદ અલ-ઇસ્લામી અને હરકત-ઉલ-મુજાહિદ્દીન જૂથો વચ્ચે તણાવ ઓછો કરવાનો હતો.

આ દરમિયાન ભારતે તેને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ અનંતનાગથી પકડી પાડ્યો હતો. ત્યારે અઝહરે કહ્યું હતું- કાશ્મીરને આઝાદ કરાવવા માટે 12 દેશોમાંથી ઇસ્લામના સૈનિકો આવ્યા છે.

તેના 4 વર્ષ પછી જુલાઈ 1995માં જમ્મુ-કાશ્મીરમાં 6 વિદેશી પ્રવાસીઓનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણકર્તાઓએ પ્રવાસીઓના બદલામાં મસૂદ અઝહરને મુક્ત કરવાની માગ કરી. આ દરમિયાન ઓગસ્ટમાં બે પ્રવાસીઓ અપહરણકર્તાઓની કેદમાંથી ભાગવામાં સફળ રહ્યા. જોકે, બાકીના વિશે કોઈ માહિતી મળી શકી નહીં.

1999માં વિમાન હાઈજેક થયા પછી ભારત સરકારે અઝહરને છોડ્યો

24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી આવી રહેલા એક ભારતીય વિમાનને અઝહરના ભાઈ સહિત અન્ય આતંકવાદીઓએ હાઈજેક કરી લીધું હતું. તેઓ તેને અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું. વિમાનમાં કેદ લોકોના બદલામાં મસૂદ અઝહર સહિત 3 આતંકવાદીઓને છોડવાની માગ કરવામાં આવી.

આતંકવાદીઓની માગ પૂરી થઈ અને મસૂદ આઝાદ થઈ ગયો. તે પછી તે પાકિસ્તાન ભાગી ગયો. ચીની સરકારે UNSCમાં મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર થવાથી ઘણી વાર બચાવ્યો છે. 2009માં અઝહરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માટે પહેલી વાર પ્રસ્તાવ આવ્યો હતો. ત્યારે સતત 4 વાર ચીને પુરાવાના અભાવનો હવાલો આપીને પ્રસ્તાવ પસાર થવા દીધો ન હતો.

આ તસવીર 1999ની છે, જ્યારે આતંકવાદીઓ ભારતના એક વિમાનને હાઈજેક કરીને અફઘાનિસ્તાન લઈ ગયા હતા.

આ તસવીર 1999ની છે, જ્યારે આતંકવાદીઓ ભારતના એક વિમાનને હાઈજેક કરીને અફઘાનિસ્તાન લઈ ગયા હતા.

ઓપરેશન સિંદૂરમાં મસૂદના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા

ભારતે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલા બાદ 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. બહાવલપુર પર ભારતીય હુમલામાં મસૂદના પરિવારના 10 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત 4 સહયોગીઓના પણ મોત થયા હતા.

મૃતકોમાં મસૂદની મોટી બહેન અને તેનો પતિ, મસૂદનો ભત્રીજો અને તેની પત્ની, મસૂદની એક ભત્રીજી અને તેના પાંચ બાળકોનો સમાવેશ થાય છે. હુમલા સમયે મસૂદ ઘટનાસ્થળે હાજર ન હોવાથી તેનો જીવ બચી ગયો હતો.

બીબીસી ઉર્દૂના રિપોર્ટ મુજબ આતંકી મસૂદે પરિવારના લોકોના મૃત્યુ બાદ એક નિવેદન પણ જાહેર કર્યું હતું. તેમાં તેણે કહ્યું હતું કે હું પણ મરી ગયો હોત તો નસીબદાર હોત.



Source link