NRI in Navsari provide unique service in Gauseva highlight humanity | નવસારી


Last Updated:

નવસારી જિલ્લામાં ગૌસેવાના પવિત્ર ભાવને નવી ઊંચાઈ મળતી જોવા મળી રહી છે. વિદેશથી આવેલા એનઆરઆઈઓ માત્ર વતન જોવા નહીં, પરંતુ ગૌમાતાની સેવા કરવા માટે પ્રેરિત થઈને છાપરા ગૌશાળામાં અબોલ, અકસ્માતગ્રસ્ત અને અશક્ત ગાયો સુધી પહોંચીને માનવતાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે.

+

વિદેશમાં

વિદેશમાં હોતાં પણ સંસ્કાર ન ભૂલ્યા

નવસારી: ગૌસેવાના પવિત્ર ભાવને સમર્પિત અનોખી સેવા પુરાણોમાં ગાય માતાનું મહત્ત્વ ઘણું ઊંડાણથી જણાવવામાં આવ્યું છે. ગાયને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે ગાય આખા જગતનું પોષણ કરે છે. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ લખાયું છે કે અબોલ પશુ-પક્ષીઓની સેવા કરતાં મોટું કોઈ પુણ્ય નથી. આજના યુગમાં અનેક લોકો આ પરંપરાને માત્ર માનતા નથી, પરંતુ પોતાના જીવનમાં અમલમાં મૂકી, સાચા અર્થમાં ગૌસેવાને જીવંત રાખી રહ્યા છે.

લગ્ન સીઝન અને વતન વાપસીના સમયગાળા દરમિયાન વિદેશથી આવેલા એનઆરઆઈઓનો આ વખતે વિશિષ્ટ દ્રષ્ટિકોણ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા ઉપરાંત ગણદેવી, બીલીમોરા, ચીખલી અને આસપાસના વિસ્તારના એનઆરઆઈઓ વતનમાં માત્ર મુલાકાત કે પ્રવાસ માટે નહીં, પણ સેવા–ભાવના સાથે સમાજને કંઈક આપવાના સંકલ્પ સાથે આવી રહ્યા છે. ખાસ કરીને ગૌસેવાના ભાવ તેમના કાર્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

નવસારીના Humanity Group સાથે જોડાઈને એનઆરઆઈ દાતાઓ તેવી જગ્યાએ પહોંચી રહ્યા છે જ્યાં સેવાની સૌથી વધુ જરૂર છે. ખાસ કરીને છાપરા ગૌશાળામાં, જ્યાં અકસ્માતગ્રસ્ત, અશક્ત અને લાંબા સમયથી બીમાર ગાયો રહે છે. કેટલીક ગાયોના એક પગ નથી, કેટલીક ગંભીર પીડામાં જીવી રહી છે. આ પ્રકારની સ્થિતિમાં સેવા આપવા માટે એનઆરઆઈ દાતાઓ તત્કાળ પહોંચે છે અને સેવા આપે છે, જે માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ છે.

દાતાઓએ પોતાની માતાના પુણ્યતિથિ નિમિત્તે એક અનોખું અને યાદગાર સેવા કાર્ય અંજામ આપ્યું. લીલી શાકભાજી, રોટલા, લાડુ અને ઘાસચારો પોતાના હાથથી પીરસી ગાયોને ભોજન કરાવ્યું. આ અબોલ પ્રાણીઓના આશીર્વાદભરી પળોમાં ભાવના એવી ઝળહળી કે દર્શકો પણ ભાવવિભોર થઈ ગયા. સેવા, કરુણા અને માતૃત્વના સંયોજનથી સજ્જ આ અનોખો કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

આ પણ વાંચો: ગામ કે શહેર? સુરનગરમાં શહેરી સ્તરની તમામ સુવિધાઓ, 4 વર્ષમાં 1.25 કરોડના કામો થયા

નવસારીના પ્રવાસે આવેલી ક્રિનાબેને તેમની જન્મભૂમિ પર તેમના માતા સ્વ. દમયંતીબેન પટેલની પુણ્યતિથિ પર અનોખી રીતે ઉજવણી કરી. ગૌમાતાની સેવા રૂપે ભોજન અને ચારો પીરસીને તેમણે માતાની યાદને કરુણાની શક્તિમાં પરિવર્તિત કરી. વિદેશમાં રહીને પણ ગૌસેવાનું મૂલ્ય ભૂલ્યા નથી એનું પ્રમાણ આપી, તેમણે પોતાની માતાના નામે ગાયોની સેવા કરીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી. ગૌસેવાનો આ ઉપક્રમ સમાજને સંદેશ આપે છે કે સેવા ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે આપણે અબોલ પ્રાણીઓ સુધી પહોંચીએ. ગાય માતાની સેવા દ્વારા પેઢીદીઠ કરુણા, માનવીયતા અને સંસ્કારોનું સંવર્ધન થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *