Rahul Gandhi Writes: Truths Power Greater Than Power
- Gujarati News
- National
- Rahul Gandhi Writes: Truths Power Greater Than Power | Mahatma Gandhis 78th Death Anniversary
નવી દિલ્હી53 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદી એકસાથે રાજઘાટ પહોંચ્યા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 78મી પુણ્યતિથિ છે. PM મોદીએ દિલ્હીના રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. PM સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
PMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારા શત-શત નમન. પૂજ્ય બાપુનો હંમેશા સ્વદેશી પર ભાર રહ્યો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો પણ આધારસ્તંભ છે. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ દેશવાસીઓને કર્તવ્ય પથ પર ચાલવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેશે.
રાહુલ ગાંધીએ લખ્યું કે રાષ્ટ્રપિતાએ આપણને મૂળમંત્ર આપ્યો કે સત્તાની તાકાત કરતાં સત્યની તાકાત મોટી હોય છે.
રાજઘાટની 4 તસવીરો જુઓ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

પીએમ નરેન્દ્ર મોદી પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી.
રાહુલ ગાંધી બોલ્યા- સત્તાની તાકાત કરતાં સત્યની તાકાત મોટી હોય છે
રાહુલ ગાંધીએ X પર લખ્યું કે મહાત્મા ગાંધી એક વ્યક્તિ નહીં, એક વિચાર છે. એ વિચાર જેને ક્યારેક એક સામ્રાજ્યએ, ક્યારેક એક નફરતની વિચારધારાએ અને ક્યારેક અહંકારી સત્તાએ મિટાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
પરંતુ રાષ્ટ્રપિતાએ આપણને આઝાદી સાથે આ મૂળમંત્ર આપ્યો કે સત્તાની તાકાત કરતાં સત્યની તાકાત મોટી હોય છે. હિંસા અને ભય કરતાં અહિંસા અને સાહસ મોટા છે. આ વિચાર ખતમ થઈ શકતો નથી, કારણ કે ગાંધી ભારતની આત્મામાં અમર છે. બાપુને તેમના શહીદી દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.
શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ દર વર્ષે 30 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નવી દિલ્હીમાં નાથુરામ ગોડસેએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. મહાત્મા ગાંધીની પુણ્યતિથિને દેશભરમાં શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.