જેફ્રી એપસ્ટીને આત્મહત્યા નહીં, હત્યા થઈ હોવાનો દાવો:ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું- ગળાનું ફ્રેક્ચર હત્યા તરફ ઇશારો કરી રહ્યા છે, ફરીથી તપાસ થવી જોઈએ
જાતીય અપરાધી જેફ્રી એપસ્ટીનની ન્યૂયોર્કની જેલમાં 2019માં થયેલા મૃત્યુ પર ફરી સવાલો ઉભા થયા છે. તેના પોસ્ટમોર્ટમમાં હાજર રહેલા ફોરેન્સિક નિષ્ણાત ડોક્ટર માઈકલ બેડને દાવો કર્યો છે કે એપસ્ટીને આત્મહત્યા કરી ન હતી, પરંતુ તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. ‘ધ ટેલિગ્રાફ’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ મામલાની તપાસ ફરીથી થવી જોઈએ. ન્યૂયોર્કમાં સરકારી મેડિકલ…