'ભારતીયો તાત્કાલિક ઈરાન છોડી દે':ભારત સરકારે નાગરિકોને એડવાઈઝરી જારી કરી, મદદ માટે ફોન નંબર પણ જાહેર કર્યા
ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે, ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેરી કરી છે. તેમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે. ઈરાનમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતે તેના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ…