'કર્ણને કુંતીને મળવાનો અધિકાર':નેધરલેન્ડના મેયર 41 વર્ષ પછી માતાને શોધવા ભારત આવ્યા, જન્મના ત્રીજા દિવસે માતાએ શેલ્ટર હોમમાં છોડ્યો હતો
નાગપુરમાં વર્ષ 1985માં એક અપરિણીત માતાએ પોતાના 3 દિવસના બાળકને એક શેલ્ટર હોમમાં છોડી દીધું હતું. એક મહિના પછી નેધરલેન્ડથી ભારત ફરવા આવેલા એક દંપતીએ તેને દત્તક લીધું અને પોતાની સાથે લઈ ગયા. આ ઘટનાને 41 વર્ષ વીતી ચૂક્યા છે. તે બાળક હવે નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ નજીક એક શહેર હીમસ્ટેડનો મેયર બની ગયો છે. હીમસ્ટેડના…