પાકિસ્તાનમાં જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ:ઘણા લોકોના મોત થયા હોવાની શક્યતા, હોસ્પિટલોમાં એલર્ટ; પોલીસ-બચાવ દળનું રેસ્ક્યુ ચાલુ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના શહઝાદ ટાઉન વિસ્તારમાં આવેલા ટેરલાઈ ઇમામબાડામાં શુક્રવાર(જુમ્મા)ની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો થયો. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ અને પોલિક્લિનિક હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે….